Last Updated on December 29, 2023 by Neelam Singh
સારાંશ
એક બ્લોગ પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે લીંબુનો રસ ખીલ દુર કરવામાં મદદરૂપ છે. અમે આ દાવાની તપાસણી કરે અને જાણવા મળ્યું કે આ દાવો મોટેભાગે ખોટો છે.
દાવો
એક વેબસાઈટ એવો દાવો કરે છે કે,
“ખીલ અને કાળા ડાઘા દૂર કરવા લીંબુનો રસ છે બેસ્ટ, આ સાચી રીતે ચહેરા પર લગાવો”
તથ્ય જાંચ
ખીલ શું છે?
NIHની વ્યાખ્યા મુજબ, ખીલ એ ત્વચાની બળતરામાંથી જન્મતો વિકાર છે, જેમાં સેબેસીયસની (તેલ) ગ્રંથીઓ હોય છે જે વાળના ફોલિકલ સાથે જોડાયેલી હોય છે, જેમાં બારીક વાળ હોય છે. ત્વચાની નીચે વાળના ફોલિકલ્સ બ્લોક થઈ જાય ત્યારે ખીલ દેખાય છે. જ્યારે પ્લગ કરેલા ફોલિકલની દિવાલ તૂટી જાય છે, ત્યારે તે બેક્ટેરિયા, ત્વચાના કોષો અને સીબુમને નજીકની ત્વચામાં ફેલાવે છે, જે જખમ અથવા પિમ્પલ્સ બનાવે છે.
અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશન જણાવે છે કે, “જો તમને ખીલ થાય છે, તો ત્વચારોગ વિજ્ઞાની ખીલના બ્રેકઆઉટ્સ જોઈને તમારું નિદાન કરી શકે છે. તમારી એપોઇન્ટમેન્ટ દરમિયાન, ત્વચારોગ વિજ્ઞાની એ પણ નોંધશે કે તમારી ત્વચા પર કયા પ્રકારના ખીલ અને ક્યાં બ્રેકઆઉટ્સ દેખાય છે. આ તમારા ત્વચારોગ વિજ્ઞાનીને અસરકારક સારવાર યોજના બનાવવામાં મદદ કરે છે.”
ખીલની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
મોટેભાગે, તરુણાવસ્થાના અંતમાં ખીલ તેની જાતે જ દૂર થઈ જતા હોય છે, પરંતુ અમુક લોકોમાં તે પુખ્તાવસ્થા સુધી પણ જતા નથી.ચોક્કસ પદ્ધતિ દ્વારા તમામ પ્રકારના ખીલની સારવાર થઇ શકે છે. ડૉક્ટર તમારી ઉંમર અને તમારા ખીલના પ્રકાર અને તીવ્રતાના આધારે સારવાર પદ્ધતિ નક્કી કરે છે. મોટેભાગે, તરુણાવસ્થાના અંતમાં ખીલ તેની જાતે જ દૂર થઈ જાય છે, પરંતુ કેટલાક લોકોમાં તે પુખ્તાવસ્થા સુધી પણ રહે છે. અમુક દવાઓ કે જે તેલનું ઉત્પાદન ઘટાડીને કામ કરે છે અને સોજો આવે છે અથવા બેક્ટેરિયલ ચેપની સારવાર કરે છે. રેટિનોઇડ્સ, એન્ટિબાયોટિક્સ, સેલિસિલિક એસિડ વગેરે સૌથી સામાન્ય રીતે સૂચવવામાં આવતી સ્થાનિક દવાઓ છે. તમને સ્થાનિક સારવાર સાથે મોઢાની દવાઓ પણ સૂચવવામાં આવી શકે છે. એ ઉપરાંત લાઇટ થેરાપી, રાસાયણિક પીલ્સ, સ્ટીરોઇડ ઇન્જેક્શન, ડ્રેનેજ અને નિષ્કર્ષણ જેવી થોડી ઉપચાર પદ્ધતિઓ પણ શક્ય છે.
લીંબુનો રસ ખીલની સારવાર કરી શકે છે?
કાયમ નહીં. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી જે સાબિત કરતા હોય કે ખીલ પર લીંબુનો રસ લગાવવાથી તેની સારવાર થઇ જશે. PCOS, જેવી ઘણીબધી અંતર્ગત પરીસ્થિતિને કારણે ખીલ થઈ શકે છે; જ્યાં સુધી આ અંદરણી સમસ્યાનું નિદાન નહી કરવામાં આવે ત્યાં સુધી તે ફરી ઉગશે. લીંબુ વિટામિન C નો સારો સ્ત્રોત અને એન્ટીઑકિસડન્ટ હોવા છતાં, લીંબુનો સીધો ત્વચા પર ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી. તેની આડઅસર થઈ શકે છે જે તમારી ત્વચાને વધુ નુકસાન પહોચાડી શકે છે. કારણ કે, તે અત્યંત એસિડિક છે અને તમારી ત્વચાના પીએચને બદલી શકે છે. તે ત્વચામાં બળતરા, શુષ્કતા અને સૂર્ય દ્વારા થતા નુકસાન તરફ દોરી શકે છે, ખાસ કરીને જયારે તમારી ત્વચા સંવેદનશીલ હોય.
ડો. જ્યોતિ કન્નંગથ, ત્વચારોગ વિજ્ઞાની, જણાવે છે કે, “ઘણા લોકો તબીબી વિકલ્પો તરફ વળતા પહેલા તેમના ખીલની સારવાર માટે ઘરેલું ઉપચાર શોધે છે, હવેના સમયમાં સોશિયલ મીડિયાના ‘જાગૃતિ’ બ્લોગ્સ અને વિડિયોને કારણે, વધુ પ્રેરિત થતા હોય છે. લીંબુના રસને એકલા અથવા હળદર, એસ્પિરિન, મધ વગેરે સાથે ભેળવીને એક ઉપાય તરીકે ગણવામાં આવે છે. પ્રાણીઓના અભ્યાસોમાં લીંબુના તેલમાં બળતરા વિરોધી અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો હોવાનું જાણવા મળ્યું હોવા છતાં, લીંબુનો રસ ખીલની સારવારમાં અસરકારક છે તે દર્શાવવા માટે કોઈ પુરાવા અસ્તિત્વમાં નથી. કેટલીકવાર તે ત્વચામાં બળતરા પેદા કરીને ખીલને વધુ ખરાબ કરી શકે છે. ત્વચા પર લીંબુનો ઉપયોગ કરવાના કેટલાક સંભવિત જોખમોમાં બર્નિંગ અથવા ડંખવાની સંવેદના, અતિશય શુષ્કતા, લાલાશ, ખંજવાળ અને સૂર્યપ્રકાશ પ્રત્યે ત્વચાની વધેલી સંવેદનશીલતાનો સમાવેશ થાય છે.
સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડો. સોનાલી કોહલી, કન્સલ્ટન્ટ ત્વચારોગ વિજ્ઞાની જણાવે છે કે, “લીંબુ વિટામિન C નો જીવંત સ્ત્રોત છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ફ્લેવોનોઈડ ગુણધર્મો છે જે ત્વચા માટે ઉત્તમ છે. ચહેરા માટે તૈયાર કરવામાં આવેલ વિટામિન સી સીરમ ચોક્કસ ફોર્મ્યુલેશન અને અન્ય ઉમેરણો છે જે પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. લીંબુનો રસ અત્યંત એસિડિક હોય છે, અને અમે જે વિટામિન C સીરમનો ઉપયોગ કરીએ છીએ તે સાઇટ્રિક એસિડ નથી પરંતુ લીંબુના રસનું એસ્કોર્બિક એસિડ વર્ઝન છે, જે ત્વચા માટે ફાયદાકારક છે અને સ્થિર છે. જ્યારે કોઈ વ્યક્તિ લીંબુને સીધા ચહેરા પર લગાવે છે, ત્યારે તમે ત્વચાના પીએચને ખલેલ પહોંચાડો છો અને તેને સંપૂર્ણપણે એસિડિક બનાવી દો છો. આવા કિસ્સાઓમાં, ત્વચાને સૂર્યના સંપર્કમાં ફાયટોફોટોડર્મેટાઇટિસ (ત્વચાની પ્રતિક્રિયા) થઈ શકે છે. તેથી, તેને ટાળવું જોઈએ. ”
ખીલની સારવાર માટે ઘરેલું ઉપચાર શા માટે ટાળવો જોઈએ?
ઘરેલું ઉપચારો ખીલના મૂળ કારણની સારવાર માટે વિકસાવવામાં આવ્યા નથી, તેથી તે તમારી ત્વચા માટે ફાયદાકારક હોવાની શક્યતા ખુબ ઓછી છે. તેમ છતાં કેટલીકવાર તેઓ દેખીતા પરિણામો દર્શાવે છે જેમ કે બળતરામાં ઘટાડો, લાલાશ, વગેરે, તે ખીલને મટાડતું નથી અને માત્ર એક અસ્થાયી અસર આપે છે. આ ઉપરાંત,આ ઘરેલું ઉપચારોને વૈજ્ઞાનિક રીતે સમર્થન નથી, જેથી તેઓ પ્રતિક્રિયાઓનું કારણ બનીને સારા કરતાં વધુ નુકસાન કરી શકે છે અને ત્વચાને વધુ ખરાબ કરી શકે છે.
ડૉ. કન્નંગથ આ બાબત પર તેમનો અભિપ્રાય જણાવે છે કે, “જ્યારે મોટા ભાગના ઘરેલું ઉપચાર તમારી ત્વચા પર સારી રીતે અસર કરવાના નથી ત્યારે તમારે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી સારવાર અનુસરવી જોઈએ. ઘરગથ્થુ ઉપચારોને કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી અને, અમુક સમયે, ખીલ વધુ ખરાબ થઈ શકે છે, ખાસ કરીને જો તમારી ત્વચા શુષ્ક/સંવેદનશીલ હોય. વૈકલ્પિક/ઘરગથ્થુ ઉપચારો અજમાવતા પહેલા, તમારી જાતને શિક્ષિત કરો અને કોઇપણ સારવાર શરૂ કરતા પહેલા તમારા ત્વચારોગ વિજ્ઞાની સાથે ચર્ચા કરો. ખીલ દુર કરવા માટેના રાતોરાત ચમત્કારિક ઉપચારના દાવાઓ જેમ કે ટૂથપેસ્ટ, લસણથી દૂર રહો.”
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.