Last Updated on November 29, 2023 by Neelam Singh
સારાંશ
એક બ્લોગ પોસ્ટ એવો દાવો કરે છે કે કાળું લસણ ૧૪ પ્રકારના કેન્સરનો ઉપચાર કરી શકે છે. અમે આ દાવાનું શોધન કર્યું અને અમને આ વાત જાણવા મળી કે આ દાવો ખોટો છે.
દાવો
એક વેબસાઈટ એવો દાવો કરે છે કે,
“કાળું લસણ કેન્સર અને લીવરની બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે”
ફેકટ ચેક
કાળું લસણ શું છે?
સામાન્ય લસણને અમુક અઠવાડિયાઓ સુધી નિશ્ચિત તાપમાને, ઉંચા ભેજ ધરાવતી પરીસ્થિતિઓ હેઠળ આથીને કાળું લસણ તૈયાર કરવામાં આવે છે. આ લસણની લણણી કાળા રંગમાં નથી કરવામાં આવતી. ખરેખર તો આથવણની પ્રક્રિયા બાદ તે કાળા રંગમાં બદલાય જાય છે.
થાઈલેન્ડણી માહીડોલ યુનિવર્સીટીના એક રિપોર્ટ મુજબ , લસણને ૬૦ થી ૯૦ ડીગ્રી સેલ્સિયસના તાપમાને આથવાથી તે લગભગ એક મહિના સુધી ૮૦ થી ૯૦ % ભેજ એ જાળવી શકે છે. જે કાળા લસણ તરીકે ઓળખાય છે.
શું લસણ અથવા કાળું લસણ કેન્સરનો ઉપચાર કરી શકે છે?
કાળું લસણ ૧૪ પ્રકારના કેન્સરનો ઉપચાર કરે છે તે દાવાને વારંવાર અલગ અલ્ફ ફેક્ટ ચેકર અને હેલ્થ એક્સપર્ટ દ્વારા નકારવામાં આવ્યો છે.
થાઈલેન્ડના કેન્સર ઇન્સ્ટીત્યુટ દ્વારા તેના રીપોર્ટ “ ખોટી માહિતી ફેલાવવી નહી” માં આ પોસ્ટને ગેરમાહિતી તરીકે તારવવામાં આવી છે.
કેન્સર વિરોધી પરીબળ તરીકે લસણ પર ઘણા બધા સંશોધનો થયા છે પણ હજી ઘણા માનવીય અભ્યાસની જરૂર છે.
ડો. મનીષ સિંઘલ, સીનીયર ઓન્કોલોજીસ્ટ ઉલ્લેખ કરે છે, “ લસણ અને હળદર પર ઘણા બધા અભ્યાસ થયા છે. બંને તેમના એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મોને કારણે જાણીતા છે. જો કે આપણને તેના ડોઝણી હજી ચોક્કસ માત્રા નથી ખબર. આ બંનેને તમારા ભોજનમાં સમાવવા સારી વાત છે પણ કેન્સર માટે તેમના પર નિર્ભર રહેવું બરાબર નથી.”
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.