Last Updated on April 28, 2024 by Team THIP
સારાંશ
કફ અને શરદીના કારણે બંધ થયેલ નાક માત્ર બે મિનિટમાં ખુલશે, તમારી આંગળીનો આ રીતે ઉપયોગ કરો. અમે હકીકત-તપાસ કરી અને દાવો મોટે ભાગે ખોટો હોવાનું જણાયું. એક્યુપ્રેશર જેવી પ્રક્રિયાઓ અસર ઓછી કરી શકે છે પરંતુ શરદીને સંપૂર્ણપણે મટાડતી નથી.
દાવો
કફ અને શરદીના કારણે બંધ થયેલ નાક માત્ર બે મિનિટમાં ખુલશે, તમારી આંગળીનો આ રીતે ઉપયોગ કરો.
તથ્ય જાઁચ
સામાન્ય શરદીનું કારણ શું છે?
સામાન્ય શરદી ઘણા પ્રકારના વાયરસને કારણે થાય છે; રાઈનો વાઈરસ સૌથી સામાન્ય કારણ છે. વાયરસ માનવ શરીરમાં મોં, આંખ અથવા નાક દ્વારા પ્રવેશ કરે છે. જ્યારે કોઈ બીમાર વ્યક્તિ ખાંસી, છીંક કે વાત કરે છે ત્યારે વાયરસ હવામાં ટીપાં દ્વારા ફેલાય છે.
એક્યુપ્રેશર શું છે?
એક્યુપ્રેશર એ એક પ્રકારની પૂરક સારવાર પ્રક્રિયા છે જેનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિની બિમારીઓથી લઈને ભાવનાત્મક વિકૃતિઓથી દૂર કરવા માટે થાય છે. આ સારવાર વિવિધ પીડાઓથી રાહત આપે છે અને અલગ અલગ લોકોમાં અલગ અલગ લક્ષણોમાં રાહત આપે છે.
પુરાવા એ પણ સૂચવે છે કે એક્યુપ્રેશર લોહીના પ્રવાહને વધારે છે અને તાણ ઘટાડવા તથા હાનિકારક ઝેર સામે શરીરની પ્રતિક્રિયાની તીવ્રતા ઘટાડવા માટે ઉપયોગી છે. ઉપરાંત, એક્યુપ્રેશર માનસિક સ્થિતિમાં સુધારો કરે છે. શરદીથી પીડાતી વખતે લોકોને સારું અનુભવવામાં મદદ કરી શકે છે.
શું એક્યુપ્રેશર સામાન્ય શરદી મટાડી શકે છે?
ના, આ વાત પુરેપુરી સાચી નથી. એક્યુપ્રેશર પ્રક્રિયાઓ સામાન્ય શરદીનું કારણ બને તેવા વાયરસ સામે કેવી રીતે લડે છે તેના કોઈ પુરાવા નથી. 2010 માં પ્રકાશિત થયેલ સમીક્ષા જણાવે છે કે સામાન્ય શરદી સામે એક્યુપ્રેશરની અસરકારકતા હાલમાં યોગ્ય રીતે દસ્તાવેજીકૃત નથી. આ નિષ્કર્ષ YouTube વિડિઓમાં કરવામાં આવેલા દાવાથી તદ્દન વિપરીત છે.
જો કે, એલર્જીક નાકના કિસ્સામાં, જેમાં લોકોને વારંવાર છીંક આવે છે, તેમાં ચહેરા પર એક્યુપ્રેશરની કસરત દ્વારા મદદ મળી શકે છે.
2010માં પ્રકાશિત થયેલ એક સંશોધન પેપર દર્શાવે છે કે સામાન્ય શરદી એ વાયરલ ચેપ છે. પરંતુ એલર્જીક ટ્રિગર માટે રોગપ્રતિકારક તંત્ર દ્વારા પ્રતિક્રિયા અપાય છે. એલર્જિક રાઈનીતીસ સપર્કમાં આવ્યા બાદ તરત જ અસર કરે છે જયારે સામાન્ય શરદી વાઈરસના સંપર્કમાં આવ્યાના 2-3 દિવસ પછી શરૂ થાય છે.
કેટલાક સંશોધન પેપરોએ એવું દર્શાવ્યું છે કે એક્યુપ્રેશર ચહેરા પરની બળતરા સાઇનસ ગ્રંથિને એલર્જિક નાસિકાથી રાહત આપે છે. ડૉ. રમણ કપૂર, MBBS, MD (મેડિસિન અલ્ટરનેટીવા) એ જણાવ્યું કે, “એલર્જિક નાસિકાની સારવારમાં એક્યુપંક્ચર ખૂબ જ અસરકારક છે. મોટાભાગના દર્દીઓમાં, રોગપ્રતિકારક શક્તિની જ તકલીફ હોય છે તેથી આપણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે. શરીર પર ચોક્કસ એક્યુપંક્ચર બિંદુઓ છે જેના પર રોગપ્રતિકારક શક્તિ સુધારવા માટે સોય નાખવામાં આવે છે. લક્ષણોમાં સુધારો કરવા માટે નાકની સાથે કેટલાક સ્થાનિક બિંદુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.”
જો કે, એક્યુપ્રેશર સામાન્ય શરદીને મટાડે છે એવા કોઈ પુરાવા નથી.
અન્ય હકીકત તપાસમાં ‘સામાન્ય શરદી એ ઈલાજ છે પણ બીમારી નથી’ અમે બતાવ્યું છે કે સામાન્ય શરદીનો કોઈ ઈલાજ નથી. આ સ્થિતિ અલગ-અલગ વાયરસના કારણે થાય છે, તેથી આ બધા વાયરસ સામે લડવા માટે એક જ દવા વિકસાવવી મુશ્કેલ છે.
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.