સારાંશ

એક વેબસાઈટના દાવા મુજબ બટાકાની છાલ ખીલના ડાઘા દુર કરવામાં મદદરૂપ થઇ શકે છે. અમે આ હકીકત તપાસી અને જાણ્યું કે આ દાવો ખોટો છે.
દાવો
વેબસાઈટ એવો દાવો કરે છે કે, “આ બટાકાની છાલને ચેહરા પર લગાવવાથી કાળા ડાઘ અને ખીલ જાદુની જેમ ગાયબ થઇ જશે.”

ફેક્ટ ચેક
ખરેખર ખીલ શું હોય છે? તેને કેવી રીતે દુર કરી શકાય?
અમેરિકન એકેડમી ઓફ ડર્મીટોલોજી(ત્વચાવિજ્ઞાન) એસોસીએશન કહે છે, “જયારે ખીલ થાય છે ત્યારે તે ચામડી અને તેની માંસપેશીઓને અંદર સુધી નુકશાન કરે છે. જયારે ખીલ દુર થાય છે ત્યારે શરીર આ નુકશાનની ભરપાઈ કરે છે. આ સારવારની પ્રક્રિયા દરમિયાન શરીર કોલોજ્ન નામનું એક એવું દ્રવ્ય પેદા કરે છે જે ત્વચાને મદદ કરે છે. ઘણીવાર શરીર વધારે પડતું અથવા ઓછુ કોલાજન પેદા કરતું હોય છે તે કારણોથી ડાઘા રહી જાય છે.” આ ડાઘાઓ કેટલા ઉપસેલા કે દબાયેલા હશે એ કોલાજનના પ્રમાણ પર આધાર રાખે છે.
આની કોઈ સારવાર એવી નથી જે બધા માટે યોગ્ય હોય. આની સારવારનો આધાર તમારા ડાઘાના નિશાન, એના પ્રકાર અને તેની ગંભીરતા પર છે. સામાન્ય રીતે, સારવારની એક અથવા ભેગી પદ્ધતિઓ ત્વચાના દેખાવને ચોક્કસ બદલી શકે છે. અમુક પદ્ધતિઓ જે સામાન્ય રીતે વપરાય છે એમાં ડમીબ્રેશન, કેમિકલ દવાઓ, લેસર રીસરફેસીંગ અને સ્તીરીયોડ ઇન્જેકશનનો સમાવેશ થાય છે.
શું બટાટા ખીલના નિશાન અથવા ડાઘ દૂર કરી શકે છે તે દર્શાવવા માટે કોઈ તબીબી પુરાવા છે?
ના. બટાકાના ખીલ સામેના ફાયદાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી. શોધ પત્ર દર્શાવે છે કે બટાકાની છાલમાં કેટલીક બળતરા વિરોધી અસરો હોઈ શકે છે, જે ખીલને કારણે થતી કોઈપણ પીડા અથવા બળતરાને શાંત કરવાની ક્ષમતા ધરાવે છે.
જો કે નિર્ણાયક પરિણામો શોધવા માટે વધુ સંશોધનની જરૂર છે.
તેનાથી વિપરીત, અન્ય સંશોધનો દર્શાવે છે કે કાચા બટાકામાંથી બનેલું પેટેટિન ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે બટાકા કાચા સ્વરૂપમાં લાગુ પડે છે ત્યારે પેટેટિન એલર્જી પેદા કરે છે. વધુમાં, અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેટેટિનની હાજરીને કારણે, કાચા બટાકા દ્વારા પુખ્ત વયના લોકોમાં લેટેક્સ એલર્જી પણ થઇ શકે છે.
તેનાથી વિપરીત, અન્ય શોધ પત્ર દર્શાવે છે કે કાચા બટાકાનું આવશ્યક સંયોજન પેટેટિન ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે કાચા સ્વરૂપમાં લાગુ પડે છે ત્યારે પેટેટિન એલર્જી પેદા કરવા માટે પણ જાણીતું છે. વધુમાં, અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેટેટિનની હાજરીને કારણે, કાચા બટાકા દ્વારા પુખ્ત વયના લોકોમાં લેટેક્સ (રબર) એલર્જી પણ થઇ શકે છે. જેમાં ત્વચા પર ખજવાળ અને નાકમાંથી પાણી નીકળવું સમાવિષ્ટ છે.

અમારા ત્વચાવિજ્ઞાનના (ડર્મેટોલોજી) નિષ્ણાત, ડૉ. જ્યોતિ કન્નાગટ કહે છે, “બટાકાની છાલ કે તેના રસથી, ત્વચાનો રંગ બદલવા અને ખીલના ડાઘ મટાડવા વિશે ઈન્ટરનેટ વિડિયો અને બ્લોગ્સથી ભરેલું છે. એ સાથે તેનો ઉપયોગ લીંબુનો રસ, દહીં, દૂધ, ઓટમીલ, વગેરે સાથે થાય છે. બટાકા પાસે જે ત્વચા ઉપચારની ક્ષમતા છે તે એન્ઝાઇમ કેટેકોલેજને આભારી છે, પરંતુ કોઈ વૈજ્ઞાનિક પુરાવા આને સમર્થન આપતા નથી. કેટલાક પ્રાણીઓ પરના પ્રયોગોમાં બટાકાની છાલમાં બળતરા વિરોધી અસરો મળી છે, પરંતુ માનવીઓ પર તેનો અભ્યાસ કરવાનો બાકી છે.
એવા દાવાઓ છે કે બટાકાનો ફેસ માસ્ક તમારા ચહેરાને વધારે યુવાન બનાવી શકે છે, તમારો ગ્લો વધારી શકે છે અને ખીલના કાળા ડાઘાના દેખાવને ઘટાડી શકે છે. તેમ છતાં, એ યાદ રાખવું અગત્યનું છે કે આમાંની મોટાભાગની અસરો ધારેલી છે. આનો અર્થ એ છે કે આ બધું લોકોની માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ ક્લિનિકલ પુરાવા નથી.”
શું ત્વચા પર બટાકાનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર થઈ શકે છે?
હા. કેટલાક કિસ્સાઓમાં, ત્વચા પર કાચા બટાકાનો ઉપયોગ પેટેટિન નામના પ્રોટીનની હાજરીને કારણે એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે. કાચા બટાકાની એલર્જીક પ્રતિક્રિયાના લક્ષણો ત્વચાની લાલાશ અને/અથવા સોજો, ખંજવાળ અથવા વહેતું નાક, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઘરઘર અને ભાગ્યે જ, એનાફિલેક્સિસ (અત્યંત જોખમી સ્થિતિ) નો સમાવેશ થાય છે.
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.