Last Updated on January 31, 2023 by Neelam Singh
સારાંશ
એક સોશિયલ મીડિયા પોસ્ટ સૂચવે છે કે સફરજન દ્વારા બનતું સીડર વિનેગર દાંતને સફેદ કરવામાં મદદરૂપ છે. અમે આ હકીકત તપાસી અને આ દાવો મોટાભાગે ખોટો હોવાનું જણાયું તે સુક્ષ્મસજીવોને મારવામાં સક્ષમ હોઈ શકે પરંતુ જો તેનો વધારે ઉપયોગ કરવામાં આવે તો તે દાંતના દંતવલ્કને(enamel) નુકસાન પહોંચાડી શકે છે.
દાવો
એક પોસ્ટ એવું જણાવે છે કે લગભગ એક મહિના સુધી સફરજનમાંથી બનતા સીડર વિનેગરનો ઉપયોગ કરવાથી દાંત સફેદ થઇ જાય છે. પોસ્ટ નીચે લિંક કરેલ છે:
ફેકટ ચેક
‘દાંત સફેદ કરવા’ એનો ચોક્કસ અર્થ શું થાય છે?
દાંતનો મૂળ રંગ સફેદ છે. આલ્કોહોલ, ચા, કોફી, ધૂમ્રપાન, દવાઓ વગેરેના ડાઘ દૂર કરી દાંતને ચોખ્ખા કરવા અર્થાત દાંતને સફેદ કરવા. આ સફેદીકરણના ઘણા રસ્તા છે જેમાં તબીબી અને તમામ કુદરતી ઉપાયોનો સમાવેશ થાય છે.
શું સફરજન દ્વારા બનતું સીડર વિનેગર હાનિકારક છે?
ના. સફરજનના આથેલા રસનો ઉપયોગ સીડર વિનેગર બનાવવા માટે થાય છે. તેમાં સંભવતઃ એસિટિક એસિડ, પેક્ટીન, વિટામિન B1, B2, અને B6, બાયોટિન, ફોલિક એસિડ, નિયાસિન અને વિટામિન C હોય છે. એસિટિક એસિડ હાનિકારક ‘ખરાબ બેક્ટેરિયા’ નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે જ્યારે ‘સારા બેક્ટેરિયા’ના વિકાસને મદદ કરે છે. વધુમાં, તે કુદરતી એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે કારણ ક, તે હાનિકારક સૂક્ષ્મજીવાણુઓનો નાશ કરે છે. આ ઉપરાંત, કોઈપણ પ્રતિકૂળ આડઅસર વગરના સાઇડર વિનેગરથી ત્વચા, પાચન તંત્ર અને રોગપ્રતિકારક શક્તિને કુદરતી રીતે ફાયદો થાય છે.
શું સફરજન દ્વારા બનતું સીડર વિનેગર દાંતને સફેદ કરવામાં સારી રીતે મદદરૂપ છે?
ના. સફરજન દ્વારા બનતા સીડર વિનેગરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. તે એવા લક્ષણો દર્શાવે છે જે દાંતને સફેદ કરે છે. જો કે, ACV ની એસિડિટી દંતવલ્ક્ને નુકસાન પહોચાડી શકે છે. દંતવલ્ક એ દાંતના ખનિજકૃત બાહ્ય આવરણને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે. દંતવલ્કની ઉણપ પણ પુનઃસ્થાપિત કરી શકાતી નથી. એ નોંધવું જોઈએ કે જ્યારે સફરજન સીડર વિનેગરનો ઉપયોગ હોમમેઇડ ઓર્ગેનિક, કુદરતી દાંત-સફેદ કરનાર એજન્ટ તરીકે કરવામાં આવે છે, ત્યારે ઉપયોગમાં લેવાતી આથાની પ્રક્રિયા વારંવાર સમસ્યારૂપ બને છે. વધુ માત્રામાં, ACV નો ઉપયોગ વધારે સમસ્યાઓ પેદા કરે છે. આમ, ડૉક્ટરની સલાહ વગર એપલ સાઇડર વિનેગર (ACV) નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી.
અમે અમારા ડેન્ટલ એક્સપર્ટ ડૉ. પૂજા ભારદ્વાજને પૂછ્યું કે શું ખરેખર સફરજનના સાઇડર વિનેગરનો ઉપયોગ દાંતને સફેદ કરવા માટે કરી શકાય છે. તેમણે કહ્યું, “એપલ સાઇડર વિનેગરમાં બ્લીચિંગ ગુણો છે જે નાના બાહ્ય ડાઘ અને તકતીના નિર્માણને દૂર કરી શકે છે, જેનાથી દાંત સ્વચ્છ દેખાય છે. તેની એન્ટિસેપ્ટિક લાક્ષણિકતાઓને કારણે, તે સૂક્ષ્મજીવોને મારી શકે છે અને શ્વાસની દુર્ગંધને અટકાવી શકે છે. જો કે, ઉપયોગકર્તાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે એસિટિક એસિડની એસિડિક પ્રકૃતિ તેને દાંતના બાહ્ય સ્તર અથવા દંતવલ્કમાં (enamel) પ્રવેશવાની મંજૂરી આપી શકે છે, જે સારા કરતાં વધુ નુકસાનમાં પરિણમી શકે છે. નિષ્ણાત માર્ગદર્શન માટે, વ્યક્તિએ હંમેશા ડેન્ટલ એક્સપર્ટ (દંત ચિકિત્સક) સાથે વાત કરવી જોઈએ.”
શું ઘરે દાંતને સુરક્ષિત રીતે સફેદ કરવા માટે કુદરતી ઉપાયોનો ઉપયોગ કરી શકાય?
ના. કુદરતી રીતે દાંતને સફેદ કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. આમાંની મોટાભાગની પ્રક્રિયાઓ કાળજીપૂર્વક દાંત પરથી સપાટીના ડાઘ દૂર કરવા મદદરૂપ છે. જો કે, આ ઘરેલુ વિકલ્પોની તુલનામાં, દંત ચિકિત્સકો વધુ સારોઅને અસરકારક ઉપાય સુચવી શકે છે. આ ઉપરાંત, ગંભીર રીતે વિકૃત દાંત માટે આ વધુ અસરકારક હોઈ શકે છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ કે દાંતને સફેદ કરતી પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ તમારા દાંતને સંવેદનશીલ બનાવી શકે છે.
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.