Last Updated on May 25, 2023 by Neelam Singh
સારાંશ
એક વેબસાઈટ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે તરબૂચ હાર્ટ રેટને નિયંત્રિત કરે છે. અમે દાવાની સમીક્ષા કરી. અમારા સંશોધન મુજબ, આ દાવો અડધો સાચો છે.
દાવો
વેબસાઈટ વન ઈન્ડિયા ગુજરાતી પર એક પોસ્ટ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તરબૂચ ખાવાથી હૃદયના ધબકારા વધવા અને પલ્સ રેટ નબળા પડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ફેક્ટ ચેક
હાર્ટ રેટ અથવા પલ્સ રેટ શું છે?
પલ્સ રેટ, જેને હાર્ટ રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની ગણતરી છે. સામાન્ય રીતે, તંદુરસ્ત આરામ કરતા હૃદયના ધબકારા 60 થી 100 ધબકારા પ્રતિ મિનિટની વચ્ચે હોય છે; જો કે, તે ક્ષણે ક્ષણે કસરતની તીવ્રતા પ્રમાણે બદલાયા કરે છે.
શું તરબૂચ હૃદયના ધબકારા નિયંત્રિત કરવામાં મદદ કરે છે?
પુરેપુરી સાચી વાત નથી. તરબૂચ ખાવાથી હ્રદયના ધબકારા નિયંત્રિત કરવા પર સીધી અસર થાય છે તેવા કોઈ પુરાવા નથી. સંશોધન જણાવે છે કે 7 દિવસના સમયગાળામાં તરબૂચના સેવનથી હૃદયના ધબકારા વધે છે. આ રક્ત પ્રવાહ પર તરબૂચની અસરને આભારી હોઈ શકે છે, જે l-citrulline ની હાજરીથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઘટક રક્તવાહિનીઓ પર કાર્ય કરીને હૃદયની પ્રવૃત્તિમાં વધારો કરે છે.
વધુમાં, એલ-સિટ્રુલિન શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડના ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે જાણીતું છે. નાઈટ્રિક ઑકસાઈડ રક્તવાહિનીઓને આરામ અને વિસ્તરણ કરવામાં મદદ કરે છે, જેનાથી રક્ત પ્રવાહમાં સુધારો થાય છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. આ ઇરેક્ટાઇલ ડિસફંક્શન દવા વાયગ્રા કેવી રીતે કામ કરે છે તેના જેવું જ છે, જે નાઈટ્રિક ઑકસાઈડના ઉત્પાદનને ઉત્તેજીત કરીને રક્ત પ્રવાહ વધારવામાં પણ મદદ કરે છે. તેથી, તરબૂચનું સેવન કરવાથી રક્તવાહિનીઓના આરોગ્યમાં સુધારો થઈ શકે છે અને લોહીના પ્રવાહમાં વધારો થાય છે અને બ્લડ પ્રેશર ઘટે છે.પણ જો કોઈ વ્યક્તિ અમુક ચોક્કસ પરિસ્થિતિઓથી પીડિત હોય જેમકે બ્રેડીકાર્ડિયા (ઓછા ધબકારા) અથવા ટાકીકાર્ડિયા (હૃદયના ધબકારા વધવા), તો તેણે આ સ્થિતિનો સામનો કરવા માટે તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આવા કિસ્સાઓમાં, ફક્ત આહારમાં ફેરફાર પર આધાર રાખવો પૂરતો નથી અને તાત્કાલિક સારવારમાં વિલંબ કરી શકે છે. ઝડપી ધબકારા નિયંત્રિત કરવા માટે ડૉક્ટરને ચોક્કસ દાવપેચ, દવા, કાર્ડિયોવર્ઝન અથવા શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે. તેવી જ રીતે, બ્રેડીકાર્ડિયાને નિયંત્રિત કરવા માટે, દર્દીને સ્થિતિને નિયંત્રિત કરવા માટે જીવનશૈલીમાં અમુક ફેરફારો, દવા અને/અથવા પેસમેકરની જરૂર પડી શકે છે.
શું હૃદયરોગ ધરાવતી વ્યક્તિઓ સુરક્ષિત રીતે તરબૂચનું સેવન કરી શકે છે?
ચોક્કસ! હ્રદયરોગ ધરાવતી વ્યક્તિઓ તંદુરસ્ત અને સંતુલિત આહારના ભાગરૂપે તરબૂચનું સેવન કરી શકે છે, પરંતુ હૃદયના ધબકારા નિયંત્રિત કરવાના એકમાત્ર પરિબળ તરીકે તેના પર આધાર રાખવો જોઈએ નહીં. હૃદયના ધબકારા અથવા અન્ય તબીબી સ્થિતિને નિયંત્રિત કરવા માટે તરબૂચને એક ઉકેલને બદલે તંદુરસ્ત આહારના એક ઘટક તરીકે જોવું મહત્વપૂર્ણ છે.
શું દરરોજ તરબૂચનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે?
હા. તરબૂચ એક પૌષ્ટિક ફળ છે જે ચોક્કસ માત્રામાં ખાવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જો કે, તરબૂચનો વધુ પડતો વપરાશ, ખાસ કરીને જેઓ લાઇકોપીનનું ઉચ્ચ સ્તર ધરાવે છે, તેમને આંતરડાની અગવડતા જેવા કે ઉબકા, ઝાડા, અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત, ડાયાબિટીસ ધરાવતા લોકોએ તરબૂચમાં રહેલી કુદરતી ખાંડની સામગ્રીનું ધ્યાન રાખવું જોઈએ અને તેના માટે જ્યુસ તરીકે પીવાને બદલે સીધું ખાવું જોઈએ. કેટલું ખાવું એ પણ એક મહત્વપૂર્ણ બાબત છે.
આ ઉપરાંત, એવા તરબૂચથી સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે કે જેમાં કૃત્રિમ રીતે મીઠાશ અને રંગો ભેળવવામાં આવ્યા હોય. કેટલાક વિક્રેતાઓ તરબૂચને રસાયણો સાથે ઇન્જેક્ટ કરે છે, જે ઇ કોલી જેવા બેક્ટેરિયલ વસાહતો પેદા કરી શકે છે જે બીમારીનું કારણ બને છે.
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.